ઉમરપાડા તાલુકાના ચોખવાડા ગામે આવેલ પંચનાથ મહાદેવ મંદિરે શિવરાત્રીના બીજા દિવસે શિવ દર્શન અને મેળાની મજા માણવા ભક્તો ઉમટી પડ્યા હતા ચોખવાડા ગામે અતિ પ્રાચીન પંચનાથ મહાદેવ મંદિર આવેલું છે ત્યાં શિવરાત્રી પર્વ નિમિત્તે ત્રણ દિવસ મેળો ભરાય છે જેમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ થી શ્રદ્ધાળુ આવી દર્શન નો લાભ લઇ મેળાની મજા માણે છે