શહેરા: નાંદરવા ગામના તળાવમાં મગર જોવા મળ્યો હોવાની આશંકાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો
શહેરા તાલુકાના નાંદરવા ગામના મોટા તળાવમાં મગર જોવા મળ્યો હોવાની આશંકાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, ઝાલા ફળિયા તરફ, પશુ દવાખાના તરફ તેમજ દશામાં મંદિરની આગળ ડોડીયા ફળિયા તરફ તળાવના ભાગમાં મગર દેખવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી રાત્રિના સમયે તળાવના કાંઠે મગર દેખાતો હોવાનું ગામમાંથી જાણવા મળે છે.