શહેરા: શહેરામાં હનુમાન જયંતિ નિમિત્તે સીતારામ પરિવાર દ્વારા હનુમાન દાદાની શોભાયાત્રા કાઢવામાં આવી હતી
હનુમાન જયંતિ નિમિત્તે પંચમહાલ જિલ્લાના શહેરા નગરમાં સીતારામ પરિવાર દ્વારા શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું,આ શોભાયાત્રામાં હનુમાન દાદાને વિશેષ બગ્ગીમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. શોભાયાત્રા દરમિયાન સમગ્ર માર્ગો ભક્તો હનુમાન ચાલીસા અને ભક્તિમય ગીતોના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા. આ શોભાયાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી હતી.