ગોધરા: બામરોલી ખુર્દમાં રસ્તાના અભાવે ગ્રામજનો હાલાકી ભોગવવા મજબૂર, ચોમાસામાં સ્મશાનયાત્રા પણ ઘૂંટણસમા પાણીમાંથી કાઢવા મજબૂર
*ગોધરા તાલુકાના બામરોલી ખુર્દમાં રસ્તાના અભાવે ગ્રામજનો હાલાકી ભોગવવા મજબૂર, ચોમાસામાં સ્મશાનયાત્રા પણ ઘૂંટણસમા પાણીમાંથી કાઢવી પડે છે* પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલા બામરોલી ખુર્દ ગામના ગ્રામજનો વર્ષોથી કાચા અને બિસ્માર રસ્તાની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે. ગામમાં યોગ્ય રસ્તો ન હોવાના કારણે સ્થાનિકોને રોજિંદા અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સૌથી કરૂણ સ્થિતિ તો ત્યારે સર્જાય છે જ્યારે કોઈનું અવસાન થાય અને અંતિમયાત્રા સ્