🚨 શું AMTS બસ ચાલકો માટે ટ્રાફિક નિયમોના કોઈ મૂલ્ય જ નથી? દિલ્હી દરવાજા પર સરેઆમ સિગ્નલ તોડતા ડ્રાઇવર સામે ઉઠ્યા સવાલો 🚨
અમદાવાદની ઓળખ સમાન AMTS ની બસોના ચાલકો ઘણીવાર રોડ પર એવા કરતબો કરે છે જે સામાન્ય જનતા માટે જીવલેણ સાબિત થઈ શકે છે. તાજેતરમાં જ દિલ્હી દરવાજા સર્કલ પરથી એક વીડિયો સામે આવ્યો છે, જ્યાં ચાલુ ટ્રાફિક વચ્ચે AMTS બસના ડ્રાઇવરે બિન્દાસ્ત રીતે લાલ સિગ્નલ હોવા છતાં બસ ભગાવી મૂકી હતી.
જનતા પૂછી રહી છે કે જો કોઈ સામાન્ય નાગરિકે આ રીતે સિગ્નલ તોડ્યું હોત તો અત્યાર સુધી સીસીટીવી કેમેરા દ્વારા ઈ-મેમો આવી ગયો હોત અથવા ટ્રાફિક પોલીસે સ્થળ પર જ ગાડી ડિટેઈન કરી લીધી હોત. તો પછી આ સરકારી બસના ડ્રાઇવરોને આવી જોખમી ડ્રાઇવિંગ કરવાની છૂટ કોણે આપી?
🛑 જો આ લાપરવાહીના કારણે કોઈ નિર્દોષ વાહનચાલક કે રાહદારીનો જીવ જોખમમાં મુકાત, તો તેની જવાબદારી કોણ લેત?
#amts #ahmedabad #latestnews #currentaffairs #amdavad