નલિયા-ભાનાડા માર્ગ પર અકસ્માતનો સિલસિલો: સતત બીજા દિવસે એસ.ટી. બસ ટકરાઈ,આનલિયા-ભાનાડા માર્ગ પર અકસ્માતોની હારમાળા યથાવત્ છે. સોમવારે થયેલા જીવલેણ અકસ્માત બાદ, મંગળવારે તે જ સ્થળે ઊભેલી ખાનગી બસ પાછળ નલિયા-ધંધુકા રૂટની એસ.ટી. બસ ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માતમાં બસને નુકસાન થયું હતું, પરંતુ સદભાગ્યે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. સ્થાનિકોએ માર્ગ પરથી વાહનો હટાવવાની માંગ કરી છે.