મેંદરડા: મેંદરડા એસ.ટી. પ્રશાસનનું કડક વલણ બસ સ્ટેશન કે બસમાં ગંદકી કરનાર સામે હવે સ્થળ પર જ થશે દંડનાત્મક કાર્યવાહી
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા રાજ્યભરમાં સ્વચ્છતાના આગ્રહ સાથે 'સ્વચ્છતા હી સેવા' મંત્રને સાચા અર્થમાં સાર્થક કરવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. આ કડીમાં જૂનાગઢ વિભાગ હેઠળના મેંદરડા એસ.ટી. કંટ્રોલ પોઈન્ટ દ્વારા જાહેર જનતાના આરોગ્ય અને સુખાકારી માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.હવેથી મેંદરડા બસ સ્ટેશન પરિસર કે બસોમાં ગંદકી ફેલાવનારા તત્વો સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવશે. ગંદકી કરશો તો ખિસ્સું હળવું થશે