સુરત: હજીરા વિસ્તારમાં આવેલી AMNS કંપનીમાં L&Tના કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કર્મચારીઓ દ્વારા ગંભીર પથ્થરમારો અને આગજનીની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી.પડતર માંગણીઓ અથવા અન્ય કારણોસર ઉશ્કેરાયેલા અંદાજે 4000 જેટલા લોકોના ટોળાએ કંપની પરિસરમાં તોડફોડ કરી પથ્થરમારો અને આગજની કરી હતી.