નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ગત વર્ષે મહિધરપુરા માં હીરા વેપારીઓ જોડે બેઠક કરી હતી.હીરા વેપારીઓને SDB માં ઓફિસ શરૂ કરવા અપીલ કરી હતી.જે અપીલના પગલે મહિધરપુરા ના વેપારીઓએ શરૂવાત કરી છે.આગામી છ મહીનાથી એક વર્ષમાં ડાયમંડ બુર્સ સંપૂર્ણ ધમધમતુ થશે તેવો આશાવાદ SDB ના વાઇસ ચેરમેન લાલજી પટેલે વ્યક્ત કર્યો છે.તેઓએ જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં થતાં લાખોના એક્સપોર્ટ નો લાભ ગુજરાતને મળવાનું એક આશાનું કિરણ બંધાયું છે.