અડાજણ: સુરત: જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણી સાથે 'સ્ટાર એર'ની છેતરપિંડી, એરપોર્ટ પહોંચ્યા બાદ ખબર પડી કે ફ્લાઈટ જ નથી
Adajan, Surat | Feb 20, 2026 સુરત: શહેરના પ્રખ્યાત ઉદ્યોગપતિ અને સમાજસેવી મહેશ સવાણી સાથે એરલાઈન્સ દ્વારા ગંભીર છબરડો કે છેતરપિંડી થઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઇન ટિકિટ બુક કરાવી અને પૈસા ચૂકવ્યા હોવા છતાં, જ્યારે તેઓ એરપોર્ટ પહોંચ્યા ત્યારે જાણવા મળ્યું કે આજે કોઈ ફ્લાઈટ જ નિર્ધારિત નથી.મહેશ સવાણીને એક સામાજિક પ્રસંગમાં હાજરી આપવા માટે સુરતથી ભુજ જવાનું હતું. આ માટે તેમણે:સ્ટાર એ કંપનીની ફ્લાઈટમાં ઓનલાઇન ટિકિટ બુક કરાવી હતી.