આણંદ: આણંદ તાલુકાના નવલી ગામમાં આચારસંહિતાનો ભંગ થતો હોવાના આક્ષેપ ગામ લોકો દ્વારા કરવામાં આવ્યા
Anand, Anand | Apr 6, 2026 આણંદ તાલુકાના નાવલી ગામમાં આચાર સંહિતાનો ભંગ થતો હોવાના આક્ષેપો ઉઠ્યા છે. યુનિટી માર્ચને લઈને લગાવવામાં આવેલા બેનરો હજુ સુધી દૂર કરવામાં આવ્યા નથી, જેને લઈને સ્થાનિકોમાં ચર્ચા જગાઈ છે.નાવલી ગામના પ્રવેશદ્વાર પર લગાવવામાં આવેલા બેનરોમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના ફોટા જોવા મળે છે, પરંતુ આચાર સંહિતા લાગુ હોવા છતાં બેનરો યથાવત રહેતા નિયમોના પાલન પર પ્રશ્નો ઊભા થયા