મેંદરડા: મેંદરડા તાલુકાના નાગલપુર ગામમાં સ્થિત “આયુષ્માન આરોગ્ય મંદિર પેટા આરોગ્ય કેન્દ્ર” ની મુલાકાત લેતા જિલ્લા પંચાયતના પ્રમુખ
આયુષ્માન આરોગ્ય મંદિર – સ્વસ્થ ભારત માટે મજબૂત પ્રાથમિક આરોગ્ય વ્યવસ્થા” જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકો ખાતે આવેલ નાગલપુર ગામમાં સ્થિત “આયુષ્માન આરોગ્ય મંદિર – પેટા આરોગ્ય કેન્દ્ર” ની જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમ્બર દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન પ્રમુખશ્રીએ આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ સાથે કામગીરી, આરોગ્યલક્ષી સેવાઓ અને ગ્રામજનોને મળતી સુવિધાઓ અંગે વિગતવાર રજૂઆત સાંભળી હતી.