રાપર: જય ભીમના નાદ સાથે રાપરમાં નીકળી ભવ્ય મહારેલી: બાબા સાહેબને અપાઈ ભાવાંજલિ
Rapar, Kutch | Apr 15, 2026 ભારતના બંધારણના શિલ્પકાર અને વિશ્વ વિભૂતિ ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે આજે વાગડની ધરા પર રાપર ખાતે ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ભવ્ય હારારોપણ અને ઉજવણીનો પ્રારંભ કાર્યક્રમની શરૂઆત ન્યાય કોર્ટ પાસે આવેલી બાબા સાહેબની પ્રતિમાને હારારોપણ કરીને કરવામાં આવી હતી. ઉપસ્થિત જનમેદનીએ બાબા સાહેબના ચરણોમાં વંદન કરી, એકબીજાને જન્મજયંતિની શુભેચ્છાઓ પાઠવી હતી