શહેરા: શહેરામાં ગ્રેનાઇટ પથ્થરના ખનનથી નદીસરથી ઉદલપુર સુધીના ગામડા પ્રભાવિત,નવાનદીસરના મિતેશ પરમારે જિલ્લાકલેક્ટરને રજુઆત કરી
શહેરામાં ગ્રેનાઇટ પથ્થરના ખનનને કારણે નદીસરથી ઉદલપુર સુધીના ગામડા પ્રભાવિત,નવા નદીસરના સ્થાનિક મિતેશ પરમારે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક માઈનિંગ માલિકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી.વાડી-વલ્લભપુર ગામે પર્યાવરણ મંજૂરી વિના ગ્રેનાઇટ ખનન થતું હોવાની સાથે ખનનમાં બેદરકારીના કારણે નદીસરથી ઉદલપુર સુધીના તમામ ગામડાઓના લોકો હેરાન થતાં હોવાનો થયો આક્ષેપ.