હાલોલ: સ્વામિનારાયણ નિષ્ઠા વિદ્યામંદિર ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી
સનાતન ધર્મમાં અષાઢી પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે, જેને ગુરુપૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે.જેને લઈને સ્વામીનારાયણ નિષ્ઠા વિધા મંદિર પરિસરમાં ગુરુપૂર્ણિમાની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. કાર્યક્રમ દરમિયાન મંદિરના સંતો દ્વારા પ્રેરણાદાયી પ્રવચન અને ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંત શ્રી કેશવસ્વરૂપદાસજી મહારાજ તથા સંત શ્રી સંતપ્રસાદ સ્વામીજી મહારાજ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.