દાહોદ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોના બનાવોમાં ઘરખમ વધારો જાેવા મળી રહ્યો છે. વાહન ચાલકોની ગફલતના કારણે નિર્દષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે. આરટીઓ અને ટ્રાફિક પોલીસની માર્ગ અકસ્માત નિવારણના ઝુંબેશ કાર્યક્રમમાં જિલ્લામાં નિષ્ફળ સાબીત થઈ રહ્યો તેમ પણ પ્રતિત થઈ રહ્યું છે ત્યારે જિલ્લામાં વધુ માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે વ્યક્તિઓના મોતને પગલે પરિવારજનોમાં ગમનીની છવાઈ ગઈ છે.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ધાનપુરના આંબાકાચ ગામે ઘાટી ઉતરતા રોડ ઉપર બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૮મી જુનના રોજ ધાનપુરના ગાંગરડી ફળિયા ગામે વાખળ ફળિયામાં રહેતાં માનસીંગભાઈ શકરાભાઈ આમલીયાર ગત તા.૦૮મી જુનના રોજ પોતાની મોટરસાઈકલ પર છાયાબેનને સાથે લઈ ધાનપુરના આંબાકાચ ગામે ઘાટી ઉતરતા રોડ પરથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે સામેથી રોંગ સાઈડ પરથી આવતા મોટરસાઈકલના ચાલકે પોતાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી માનસીંગભાઈ આમલીય
Dohad, Dahod | Jun 14, 2026