સુરત શહેરમાં ગેરકાયદેસર રીતે ભૂગર્ભ જળ ઉલેચતા પાણી માફિયાઓ સામે હવે જનતાનો મિજાજ ગરમ થયો છે. ડીંડોલી વિસ્તારની ઘટના બાદ હવે ભેસ્તાન વિસ્તારમાં પાણી માફિયાઓ સામે સ્થાનિકોએ બાંયો ચડાવી છે. ભેસ્તાન સ્થિત મંગલમૂર્તિ સોસાયટી પાસે રહેઠાણ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ધમધમતા પાણીના બોરિંગોને કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.મંગલમૂર્તિ સોસાયટી પાસે કોઈ પણ જાતની મંજૂરી વગર 8થી વધુ મોટા બોરિંગ બનાવી દેવામાં આવ્યા છે.