પવિત્ર શિવરાત્રિના પર્વ નિમિત્તે બારડોલી જે પી નગરમાં ‘વિઘ્ન રાજ યુવક મંડળ’ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવરાત્રિના પવિત્ર દિવસે ‘સેવા એ જ સાચી ભક્તિ’ના મંત્રને સાર્થક કરતા વિઘ્નરાજ યુવક મંડળ યુવાનો દ્વારા આયોજિત આ કેમ્પમાં બ્લડ બેંકના સહયોગથી કુલ 42 યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું.