બારડોલી: બારડોલીમાં ભાજપનો આંતરિક જૂથવાદ સપાટી પર: આદિજાતિ મોરચાના મંત્રી ગણપત રાઠોડનું રાજીનામું
Bardoli, Surat | Feb 17, 2026 બારડોલીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના આંતરિક જૂથવાદને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે. જિલ્લા ભાજપના આદિજાતિ મોરચાના મંત્રી તરીકે કાર્યરત રહેલા ગણપત રાઠોડએ પોતાના પ્રાથમિક સભ્યપદ સહિત તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપી દેતાં સંગઠનમાં ખળભળાટ મચ્યો છે. ગણપત રાઠોડ બારડોલી તાલુકાના હળપતિ સમાજના આગેવાન તરીકે પણ ઓળખાય છે. તેમણે પોતાના રાજીનામામાં સંગઠન અંદર મનીતા આધારિત કામો થતાં હોવાના આક્ષેપ કર્યા હોવાનું જાણવા મળે છે.