શહેરા: શહેરા તાલુકાના શેખપુર ગામે પાણી સમસ્યાના ઉકેલ માટે લિકેજ પાઈપ લાઈનની રીપેરીંગ કામગીરી શરૂ કરાઇ
શહેરા તાલુકાના શેખપુર ગામમાં છેલ્લા ઘણા સમયથી પાણીની પાઈપલાઈનમાં લિકેજ હોવાને કારણે પાણી લોકોના ઘરો સુધી પહોંચી શકતું ન હતું,જેથી શેખપુર ગામે યોજાયેલી ગ્રામસભામાં પાણીની સમસ્યા અંગે રજુઆત થતાં આ બાબતની ગંભીર નોંધ લઈ ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ મગનભાઈ પટેલીયા એ શેખપુર ગામમાં પાણી લિકેજ પાઈપ લાઈનોને તાત્કાલિક ધોરણે રીપેર કરાવવાની કામગીરી શરૂ કરાવી છે.