આણંદ: આણંદ તાલુકાની ગોપાલપુરા પ્રાથમિક શાળાને રાષ્ટ્રીય સ્તરે “અર્થવાઈઝ એવોર્ડ 2026 એનાયત
Anand, Anand | Apr 8, 2026 શાળાના આચાર્ય શ્રી શૈલીનબેન ડાભીના માર્ગદર્શન હેઠળ અર્થવાઇઝ એવોર્ડ માટે દેશભરની માત્ર 20 શાળાઓમાં ગોપાલપુરા પ્રાથમિક શાળાનો સમાવેશ થયો એ ખૂબ ગૌરવની વાત છે. આ એવોર્ડ શાળાના પર્યાવરણ પ્રત્યેના જાગૃત અભિગમ, સ્થિર વિકાસ માટેના પ્રયાસો અને વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવતી પર્યાવરણ જાગૃતિ વિષયક પ્રેરણાદાયક પ્રવૃત્તિઓને ધ્યાન રાખી આપેલ છે