હાલોલ: હાલોલના ટાઢોડીયા ગામે આગ હોનારતનો ભોગ બનેલા પરિવારોને ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના હસ્તે સહાય કરાઈ
હાલોલના ટાઢોડીયા ગામે ગત દિવસોમા સર્જાયેલી આકસ્મિક આગની દુર્ઘટનામાં સ્થાનિક ગ્રામજન લક્ષ્મણભાઈ બારીયા, વિઠ્ઠલભાઈ બારીયા અને શિવાભાઈ બારીયાના મકાનો તેમજ ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ આપત્તિના સમયે પીડિત પરિવારોને તાત્કાલિક રાહત આપવા માટે વહીવટી દ્વારા સહાયની જાહેરાત કરવામા આવી હતી.જેના ભાગરૂપે તા.11 જૂન ગુરુવારના રોજ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના હસ્તે અસરગ્રસ્ત ત્રણેય પરિવારોને કુલ ₹2,85,000/- ની રકમના ત્રણ ચેક અર્પણ કરવામા આવ્યા હતા