હાલોલ: હાલોલ તાલુકાના આંબાતળાવ ગામેથી અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી ફરાર થયેલો કેદી ઝડપાયો
અમદાવાદ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન પર છૂટીને ફરાર થયેલ બળાત્કારના ગુનામાં સંડોવાયેલ કેદીને પંચમહાલ-ગોધરા પેરોલ ફર્લો સ્કવોડે હાલોલ તાલુકાના આંબાતળાવ ગામેથી ઝડપી પાડ્યો છે.બાદમાં તેની કાયદેસરની અટકાયત કરીને કડક પોલીસ જાપ્તા હેઠળ ફરીથી અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે જેથી તે બાકીની સજા ભોગવી શકે.