મોટા બોરસરા ગામ નજીકથી પસાર થતી કીમ નદીમાં અસંખ્ય માછલીઓના મોત થયા છે. આ ઘટનાથી સ્થાનિક પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.પ્રાથમિક તપાસ મુજબ, જીઆઇડીસીના અનેક ઔદ્યોગિક| એકમો દ્વારા કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી સીધું કીમ નદીમાં છોડવામાં આવે છે. આ ઝેરી પાણીના કારણે નદીમાં| માછલીઓ ટપોટપ મરી રહી છે.