હાલોલ: પાવાગઢ દુર્ઘટના,પીડિત પરિવારોને ₹4 લાખની આર્થિક સહાયના ચેક ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના હસ્તે અર્પણ કરાયા
પાવાગઢ ખાતે શુક્રવારે વહેલી સવારે સર્જાયેલી ગોઝારી દુર્ઘટનામાં પોતાના સ્વજનો ગુમાવનાર પરિવારો પર આવી પડેલી આફત વચ્ચે વહીવટી તંત્રએ સંવેદનશીલતા દાખવી છે.આજે રવિવારના રોજ હાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે મૃતકોના પરિવારોને સરકારના નિયમ મુજબ મળવાપાત્ર આર્થિક સહાય વિતરણનો એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.પ્રત્યેક મૃતકના આશ્રિત પરિવારને રૂપિયા 4 લાખની સહાય આપવામાં આવી હતી