હાલોલ: યાત્રાધામ પાવાગઢમાં સર્જાઈ મોટી દુર્ઘટના, ભેખડ ધસી પડતા યાત્રાળુઓ દબાયા,2 યાત્રાળુઓના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત
પાવાગઢ ખાતે આજે શુક્રવારે વહેલી સવારે દુઃખદ ઘટના સર્જાઈ હતી.ગત રાત્રે પડેલા ભારે વરસાદના કારણે માચીથી ડુંગર તરફ જતાં માર્ગ પર પાટિયા પુલ નજીક અચાનક ભેખડ ધસી આવતા મોટા પથ્થરો યાત્રાળુઓ પર પડ્યા હતા. આ ગંભીર દુર્ઘટનામાં બે યાત્રાળુઓના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે કેટલાક યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થયા છે.