સુરતઃ રાંદેર ઝોનના પાલ જળવિતરણ મથક ખાતે ભૂગર્ભ ટાંકીની સફાઈ અને નવી-જૂની ટાંકીઓના જોડાણની ટેકનિકલ કામગીરીને પગલે 26 ફેબ્રુઆરીએ ગુરૂવારે પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે. આ કામગીરીને કારણે ગુરૂવારે અને શુક્રવારે પાણી પુરવઠો બંધ રહેશે. મરામતની આ કામગીરી પૂર્ણ થયા બાદ બીજા દિવસે એટલે કે 27 ફેબ્રુઆરી શુક્રવારે પાણી પુરવઠો ફરીથી શરૂ કરવામાં આવશે, પરંતુ ટેકનિકલ કારણોસર શુક્રવારે પણ પાણી ખૂબ જ ઓછા પ્રેશરથી મળશે તેમ જણાવાયું છે.