શહેરા: શહેરા તાલુકાના વાઘજીપુર ગામે ગ્રામ સભા યોજાઈ,નલ સે જલ અને અન્ય વિકાસના કામો અંગે ચર્ચા કરાઈ
શહેરા તાલુકાના વાઘજીપુર ગામમાં સરપંચ કાળીબેન બારીઆના અધ્યક્ષ સ્થાને અને તલાટી કમમંત્રી એસ.પી.બારીઆની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઈ હતી. આ ગ્રામસભામાં ગામના પડતર પ્રશ્નો અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી,જેમાં સૌથી મહત્વનો મુદ્દો 'નલ સે જલ' યોજનાનું અધૂરું કામનો રહ્યો હતો,જે અધૂરું કામ તાત્કાલિક પૂર્ણ કરી ઘરે-ઘરે નળ દ્વારા પાણી પહોંચાડવા ચર્ચા કરાઈ હતી,આ ઉપરાંત ગામમાં સ્વચ્છતા જાળવણી અને અન્ય વિકાસલક્ષી કામોને વેગ આપવા અંગે પણ ચર્ચા કરાઈ હતી