હાલોલ: પાવાગઢ સંઘમાં આવેલા પદયાત્રા દરમિયાન આનંદના યુવકનું નીપજ્યુ મોત,પરિવારમાં શોકનો માહોલ છવાયો
આનંદ શહેરથી પાવાગઢ મહાકાળી માતાના દર્શનાર્થે નીકળેલા પદયાત્રિકોના સંઘમાં દુઃખદ બનાવ સામે આવ્યો છે. હાલોલ ખાતે આજે સોમવારના રોજ આનંદના મહાવીર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતો યુવક રિતેશ રાજુભાઈ વસાવાનું અચાનક મોત નિપજતાં સમગ્ર સંઘમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી અને યાત્રા અધવચ્ચે જ મુકી દેવી પડી હતી.બનાવની જાણ મૃતકના પરિવારજનોને થતા તેઓ હાલોલ રેફરલ હોસ્પિટલ તરફ રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે.