રાપર: આવતીકાલે ડો.આંબેડકર જયંતિ નિમિતે મહારેલી,મહાસભા સહિતના કાર્યક્રમો યોજાશે,અગ્રણી અશોક રાઠોડે આહવાન કર્યું
Rapar, Kutch | Apr 13, 2026 ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે રાપરમાં ભવ્ય સામાજિક શક્તિ પ્રદર્શન અને રેલીનું આયોજન રાપર: આગામી 14મી એપ્રિલ 2026ના રોજ વિશ્વરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિની રાપર ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે યુવા અગ્રણી અશોક રાઠોડ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી રાપર તાલુકાના તમામ નાગરિકોને આ આયોજનમાં સહભાગી થવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે.