હાલોલ: હાલોલ નગર પાલિકાની ઘોરી બેદરકારી,ગૌમાતાની દફનવિધિના નિયમો માત્ર કાગળ પર
હાલોલ નગરપાલિકાની ગંભીર બેદરકારી સામે છે.ભીમનાથ મહાદેવ મંદિર પાછળ વીજ કરંટ લાગવાથી ગુરુવારે રાત્રે એક ગૌમાતાનું મોત નીપજ્યું હતું.શુક્રવારે સવારે નગરપાલિકા દ્વારા મૃત ગૌમાતાને ફાયર સ્ટેશન પાછળ આવેલી જમીનમાં દફનાવવા માટે લઈ જવામાં આવી હતી. પરંતુ દફનવિધિની કામગીરી દરમિયાન કર્મચારીઓએ માત્ર જેસીબી વડે ખાડો ખોદી ગૌમાતાને તેમાં મૂકી સ્થળ છોડી દીધું હોવાનું સામે આવ્યું છે.જેના કારણે સ્થાનિક લોકો અને ગૌભક્તોમાં ભારે રોષ ફેલાયો છે.