ગાંધીધામ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતને રૂ. ૯૦૦ કરોડના વિવિધ રેલવે પ્રકલ્પોની ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશ અને ખાસ કરીને ગુજરાત માટે 3.891 કરોડની મહત્વપૂર્ણ રેલવે યોજનાઓનું લોકાર્પણ કર્યું છે. આ અવસરે ગાંધીધામ-આદિપુર મલ્ટી ટ્રેકિંગ રેલ લાઈન પ્રોજેક્ટને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યો હતો. ગાંધીધામ રેલવે સ્ટેશન ખાતે બપોરે આયોજિત વિશેષ કાર્યક્રમમાં સ્થાનિક આગેવાનો અને રેલવે અધિકારીઓની હાજરીમાં આ પ્રોજેક્ટ ખુલ્લો મુકાયો હતો.