ગાંધીધામ: આદિપુર ઘોડાચોકી નજીક મનપાની કાર્યવાહી : ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા
આદિપુરના ઘોડાચોકી વિસ્તારમાં મનપા દ્વારા દબાણ વિરોધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરમિયાન રસ્તા અને જાહેર જગ્યાઓ પર થયેલા 6થી વધુ ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન તંત્રએ દબાણકારોને ચેતવણી આપી ભવિષ્યમાં ફરી દબાણ ન કરવા સૂચના આપી હતી. મનપાની આ કાર્યવાહીથી વિસ્તારમાં ટ્રાફિક વ્યવસ્થા સુધરશે તેમજ સામાન્ય જનતાને રાહત મળશે.