ગારીયાધાર તાલુકાના સુરવિલાસ ગામ ખાતે એક કરુણ અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. સુરવિલાસ ગામના વાડી વિસ્તારમાં શોર્ક લાગવાથી 12 વર્ષીય બાળકનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ બાળક વાડી વિસ્તારમાં રમતો કે કોઈ કામસર ગયો હતો ત્યારે અચાનક વીજ શોક લાગ્યો હતો. ઘટના બાદ પરિવારજનોએ તાત્કાલિક સારવાર માટે દોડધામ કરી, પરંતુ દુર્ભાગ્યવશ બાળકને બચાવી શકાયું નહોતું. આ અચાનક ઘટનાથી ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ છે અને પરિવાર પર દુઃખનો પહાડ