ગારિયાધાર ખાતે મહાશિવરાત્રી નિમિતે ભક્તોની ભીડ — સુખનાથ મહાદેવ મંદિરે ઉમટ્યો જનમેદની મહાશિવરાત્રીના પાવન અવસરે ગારિયાધાર શહેરમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો. ખાસ કરીને સુખનાથ મહાદેવ મંદિર ખાતે સવારથી જ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. ભક્તોએ વહેલી સવારથી ભગવાન શિવના દર્શન કરવા માટે લાંબી લાઈનો લગાવી હતી અને “હર હર મહાદેવ”ના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના અને અભિષેકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ