ગારિયાધાર શહેરમાં વિકાસના મોટા મોટા દાવાઓ વચ્ચે હકીકત કંઈક અલગ જ તસ્વીર રજૂ કરે છે. શહેરના મુખ્ય માર્ગ પર જ મોટા ખાડાઓ અને તેમાં ભરાયેલું ગંદુ પાણી વાહનચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે તેવી સ્થિતિ ઉભી થઈ છે. રોજિંદા આવનજાવન કરતા નાગરિકો, વિદ્યાર્થીઓ અને વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે અથવા વરસાદી માહોલમાં આ ખાડાઓ દેખાતા નથી, જેના કારણે અકસ્માતની સંભાવના વધુ વધી જાય છે. બે-ચક્રી વાહનચાલકો માટે તો આ સ્થિતિ સૌથી વધુ જોખમ