રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાયેલા દિવ્ય દરબાર દરમિયાન બનેલી ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના હુંકાર બાદ કેટલાક મહિલા-પુરુષો અને એક બાળક ધૂણતા જોવા મળ્યા હોવાના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ ઘટનાને લઈને જાણીતા વકીલ અને પાટીદાર આગેવાન પુરુષોત્તમ પીપળીયાએ ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે અને તેને "પ્રેત દરબાર" ગણાવી ખુલ્લો પડકાર ફેંક્યો છે.
આ વિડિયોમાં જાણો રાજકોટ દિવ્ય દરબારનો સંપૂર્ણ વિવાદ, વાયરલ વીડિયો પાછળની હકીકત, પુરુષોત્તમ પીપળીયાના આરોપો, વિજ્ઞાન જાથાની રજૂઆત અને અંધશ્રદ્ધા સામે ઉઠેલા સવાલો. શું આ શ્રદ્ધા છે કે અંધશ્રદ્ધા? જુઓ સંપૂર્ણ રિપોર્ટ.
HD News સાથે જોડાયેલા રહો ગુજરાત અને દેશ-વિદેશના તાજા સમાચાર માટે.
#Rajkot #DhirendraShastri #BageshwarDham #DivyaDarbar #GujaratNews #humdekhengenews
Ahmadabad City, Ahmedabad | Jun 8, 2026