ધોળકા: ધોળકામાં વલ્લભાચાર્યજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે શોભાયાત્રા નીકળી
આજરોજ તા. 13/04/2026, સોમવારે સાંજે 5 વાગે ધોળકા ખાતે ભાલાપોળ વિસ્તારમાંથી વૈષ્ણવ સંપ્રદાયનાં સ્થાપક પ. પૂ. વલ્લભાચાર્યજીનાં પ્રાગટ્ય દિવસ નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ શોભાયાત્રાને પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ધોળકાનાં ધારાસભ્ય કિરીટસિંહ ડાભીએ પ્રસ્થાન કરાવ્યું હતું.