સુરેન્દ્રનગર શહેરમાં માનવતા, જીવદયા અને સેવાના સંદેશ સાથે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા આયોજિત “વિરહ થી વૈરાગ્ય સુધી” નામક અદભૂત જૈન નાટકનું સફળ મંચન કરવામાં આવ્યું હતું. શહેરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દર્શકો ઉપસ્થિત રહ્યા હતા. આદેશ્વર ભગવાનના પવિત્ર જીવન પર આધારિત આ પ્રેરણાદાયક નાટક સુરેન્દ્રનગરમાં પ્રથમવાર રજૂ થયું હતું. નાટકમાં વિરહથી વૈરાગ્ય સુધીની આધ્યાત્મિક યાત્રાનું અસરકારક ચિત્રણ કરવામાં આવ્યુ