દાહોદ જિલ્લાને રક્તપિત્ત મુક્ત બનાવવા એલસીડીસી ઝુંબેશનો પ્રારંભ : ૧૦ થી ૩૦ જૂન દરમિયાન ૪.૪૨ લાખ ઘરોમાં સર્વે, ૨૨૬૭ ટીમો કાર્યરત
દાહોદ જિલ્લાને રક્તપિત્ત મુક્ત બનાવવા જિલ્લા રક્તપિત્ત કચેરી દ્વારા Leprosy Case Detection Campaign (LCDC) અંતર્ગત તા. ૧૦ થી ૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન જિલ્લામાં સઘન સર્વે ઝુંબેશ હાથ ધરવામાં આવશે. આ ઝુંબેશ હેઠળ જિલ્લાના ૪.૪૨ લાખ ઘરોમાં મુલાકાત લઈ અંદાજિત ૨૬.૫૨ લાખથી વધુ વસ્તીને આવરી લેવામાં આવશે. સર્વે કામગીરી માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કુલ ૨૨૬૭ ટીમોની રચના કરવામાં આવી છે.
આ ઝુંબેશનો મુખ્ય હેતુ રક્તપિત્તના શંકાસ્પદ દર્દીઓને સમયસર શોધી તેમનું નિદાન અને સારવાર શરૂ કરીને રોગના ફેલાવાને અટકાવવાનો છે. લેપ્રસીના વધુમાં વધુ દર્દીઓ શોધી શકાય તે માટે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રક્તપિત્ત એ માઇક્રોબેક્ટેરિયમ લેપ્રી નામના બેક્ટેરિયાથી થતો ચેપી રોગ છે. જે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તેમને �
Dohad, Dahod | Jun 6, 2026