લખપત કોલેજમાં 'બજેટ ૨૦૨૬' પર વિશેષ વ્યાખ્યાન યોજાયું મહારાવશ્રી લખપતજી કોલેજમાં ડૉ. કોમલ વાણીયાના અધ્યક્ષસ્થાને 'કેન્દ્રીય બજેટ અને તેની અસરો' પર વિશેષ વ્યાખ્યાન યોજાયું હતું. મુખ્ય વક્તા ડૉ. ભરતકુમાર છાંગાએ નવા ઇન્કમ ટેક્સ એક્ટ અને શિક્ષણ ક્ષેત્રે થયેલી જોગવાઈઓ વિશે છણાવટ કરી હતી. બજેટના જટિલ આંકડાઓને સરળ રીતે સમજાવતા આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. વિગતો સાત વાગ્યે મળી હતી