ઘોઘંબા: તાલુકાના ચેલાવાડા ગામે દર્શને આવેલા દર્શનાર્થીની બાઈકની ચોરી થતા રાજગઢ પોલીસમથકે ફરિયાદ નોંધાવા પામી છે.
ઘોઘંબા તાલુકાના ચેલાવાડા ગામે દર્શન કરવા ગયેલા ખેડૂત પુનમભાઈ તળપદાની બાઈક ચોરી થઈ હતી. તેઓ પોતાના દીકરા અને અન્ય પરિવારજનો સાથે પાવાગઢ તથા બાદમાં બાબાદેવ મંદિરે ગયા હતા. મંદિર બહાર ખુલ્લી જગ્યામાં પાર્ક કરેલી બાઈક દર્શન બાદ પરત ફરતાં ગુમ થઈ ગઈ હોવાનું જણાયું. આસપાસ શોધખોળ છતાં બાઈક મળી આવી નહોતી. આ અંગે પુનમભાઈએ રાજગઢ પોલીસમથકે અજાણ્યા ચોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.