ઘોઘંબા: વડોદરા-જાંબા રૂટની એસટી બસ વાવ બાકરોલ પાસે પલટી ખાઈ જતા અફરાતફરી મચી, 10 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા
પંચમહાલ જિલ્લામાં વડોદરા-જામ્બા રૂટ પર દોડતી બસ ઘોઘંબા તાલુકાના વાવ બાકરોલ નજીક ઢોળાવમાં પલટી ખાતાં ગંભીર અકસ્માત સર્જાયો. ઉતરતા ઢાળ દરમિયાન ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી ગઈ હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. અકસ્માતમાં 10થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરાઈ અને ઇજાગ્રસ્તોને કદવાલ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરાઈ છે.