માંડવી: ધોમ ધખતા આકરા તાપ માં બિદડા ખાતે 21 દિવસીય નવ ધૂણી તપસ્યા નું પ્રારંભ કરાયું
Mandvi, Kutch | Apr 13, 2026 માંડવી તાલુકા ના બિદડા ખાતે જન કલ્યાણ તથા વિશ્વ શાંતિ માટે 21 દિવસીય નવ ધુણી તપસ્યા તપસ્વી બ્રહ્મલીન મહંત ગુરુશ્રી દામોદર ગીરીજી ના શિષ્ય વિષ્ણુગીરીજી દ્વારા કરાઈ રહી છે તેઓના ગુરુ બ્રહ્મલીન દામોદર ગીરી જીની પરંપરા જાળવતા આજ થી 21 દિવસિય નવ ધુણી તપસ્યા નું પ્રારંભ કરાયું છે. આ આયોજન રાવળપીર ની જગ્યા નર્મદા કેનાલ નજીક ભોલેનાથ મહાદેવ આશ્રમ બિદડા અને મોટા ભાડીયા ખાતે કરવામાં આવી રહયુ છે આ પ્રસંગે બહોળી સંખ્યા માં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.