કેશોદ તાલુકા તેમજ કેશોદ શહેરમાં હાલ ભાડાના મકાનમાં ચાલી રહેલી અનેક આંગણવાડી કેન્દ્રોને લઈને મહત્વપૂર્ણ માંગ ઉઠી છે. બાળકો અને ગર્ભવતી મહિલાઓના પોષણ તથા પ્રાથમિક શિક્ષણનું મુખ્ય કેન્દ્ર ગણાતી આંગણવાડીઓ ભાડાના અને અસુવિધાજનક મકાનમાં ચાલી રહી હોવાથી કામગીરી પર અસર પડી રહી છે. ત્યારે સ્થાનિક આગેવાનો, સમાજના પ્રતિનિધિઓ અને આંગણવાડી કાર્યકરો દ્વારા સરકાર સમક્ષ કેશોદ તાલુકા અને શહેરમાં નવી, સુવિધાયુક્ત સરકારી આંગણવાડી ઇમારતો બનાવવાની માંગ કરવામાં આવી છે