શિનોર: અવાખલ ગામે આવેલ વ્રજ નર્સરીમાં આવી ચડેલા ચેક્રડ કીલબેક સાપને રેસ્ક્યું કરી તેને શિનોર વન વિભાગને સુપરત કરવામાં આવ્યો
અવાખલ ગામે રહેતા નિલેશભાઈ પટેલની વ્રજ નામની નર્સરી આવેલી છે.આ નર્સરીમાં આજે રાત્રે સવા દસ વાગ્યાના અરસામાં એક ચેક્રડ કીલબેક નામનો સાપ આવી ચડયો હતો.જેના પગલે ભારે અફરાતફરી મચી જવા પામી હતી.જે અંગેની જાણ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યું ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલને કરાઇ હતી.જેની જાણ થતાં જ અશોકભાઈ પટેલ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વ્રજ નર્સરીમાં આવી ચડેલા ચેક્રડ કીલબેક સાપને ભારે જહેમત ઉઠાવી તેને રેસ્ક્યું કરી શિનોર વન વિભાગને સુપરત કરાયો હતો.