કૃષિ સંશોધન કેન્દ્ર, મુવાલિયા ફાર્મ, દાહોદ દ્વારા “સ્ટ્રેંધનિંગ એડેપ્ટીવ રીસર્ચ ઇન એગ્રો-ક્લાયમેટીક ઝોન્સ ઓંફ એ.એ.યુ.” યોજના અંતર્ગત મધ્ય ગુજરાતના ખેડૂતો માટે નાગલી પાક માટે પરીસંવાદ યોજાયો*
દાહોદ મુકામે આવેલ આણંદ કૃષિ યુનિવર્સીટીનું કૃષિ સંશોધન કેન્દ્ર જે મુવાલિયા ફાર્મ તરીકે ખેડૂતોમાં લોકપ્રિય છે ત્યાં પરીસંવાદ યોજાયો હતો. આ દરમ્યાન ચોમાસું ઋતુમાં નાગલી તેમજ કોદરા પાક પર રાજ્ય, રાષ્ટ્રીય કક્ષાના અખતરાઓ અને વિવિધ સંશોધિત જાતનું બીજ ઉત્પાદન કાર્યકમ લેવામાં આવે છે.
ખેડૂતોમાં હલકા ધાન્ય પાકો પ્રત્યે જાગૃતિ ફેલાય અને ખેડૂત આ પ્રાચીન પાક તરફ પાછા વળે તે હેતુસર કૃષિ સંશોધન કેન્દ્ર, આ. કૃ. યુ., મુવાલિયા ફાર્મ, દાહોદ દ્વારા તારીખ ૦૫/૦૬/૨૦૨૬ અને ૦૬/૦૬/૨૦૨૬ ના રોજ “સ્ટ્રેંધનિંગ એડેપ્ટીવ રીસર્ચ ઇન એગ્રો-ક્લાયમેટીક ઝોન્સ ઓંફ એ.એ.યુ.” યોજના અંતર્ગત યોજાયેલ પરિસંવાદમાં મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ, ખેડા જીલ્લાના અનુક્રમે લીમખેડા તા�
Dohad, Dahod | Jun 10, 2026