ધોલેરા: અમદાવાદથી સોમનાથ જતા પરિવારને અકસ્માત: બોલેરો ચાલકે ઓવરટેક કરતા વેગનઆરને ટક્કર મારી, ગુનો દાખલ
અમદાવાદથી સોમનાથ જતા પરિવારને અકસ્માત: બોલેરો ચાલકે ઓવરટેક કરતા વેગનઆરને ટક્કર મારી, ગુનો દાખલ અમદાવાદથી સોમનાથ મહાદેવના દર્શન કરવા જઈ રહેલા એક જ પરિવારના ચાર સભ્યો અકસ્માતનો ભોગ બન્યા હતા. ધોલેરાથી આશરે 9 કિમી દૂર એક બોલેરો પીકઅપ ગાડીના ચાલકે બેફામ ગતિએ આવી વેગનઆર ગાડીને ટક્કર મારી હતી. આ ઘટનામાં વેગનઆરમાં સવાર પરિવારના સભ્યોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે. સમગ્ર માહિતી પોલીસે 11 તારીખના સવારે 9:00 વાગે આપી હતી