મેઘરજ તાલુકામાં સરકારની જુદી જુદી યોજનાઓ હેઠળ આવતા નાણામાં ભયંકર ભષ્ટાચારની બુ આવે છે. તાલુકામાં સરકારની જુદી જુદી ગ્રાન્ટોમાંથી ગામડાઓમાં સ્મશાન ગૃહ તથા તેના શેડ પણ બનાવાતા હોય છે પણ મેઘરજ તાલુકામાં આવા કામોમાં હલકી ગુણવત્તા વાળો માલ સામાન વાપરી કામ પુરા કરી બીલો સરકાવી લેવાની એક હોડ ચાલી રહી છે. તાલુકાના ખાખરીયા ગામે બનાવાયેલા સ્મશાનના શેડના પતરા ઉડી જવાના કારણે લોકોના મૃતદેહને વરસતા વરસાદમાં અગ્નીદાહ દેવાની નોબત આવી હતી.
ગત તા.૨૪મી જુલાઈના રોજ ખાખરીયા ગામના મનહરભાઈ કોદરભાઈ પંચાલનું અવસાન થયુ હતુ. આ દિવસે ભારે વરસાદની આગાહી હોવાથી મેઘરજ તાલુકામાં પણ સવારથી જ વરસાદ ચાલુ થઈ ગયો હતો. મૃતકના સગાઓ પણ મૃતકને અગ્નીદાહ આપવાની તૈયારીમાં લાગી ગયા હતા અને મૃતકને ટ્રેકટરમાં મૃતદેહ પલળે નહીં તેનુ ધ્યાન રાખી ટાડપટડી ઢાંકીને સ્મશાને લઈ જવાયા હતા પણ સ્મશાને ગયા પછી ડાયુઓની હાલત ચીંતાજનક બની હતી. ખાખરીયા ગામે બે ગામનું એક સ્મશાન ગૃહ બનાવાયેલ છે પણ આ સ્મશાન ગૃહ ઉપરના શેડના માંડ બે પતરા બચ્યા હતા. બાકીના કોઈ પતરા જ ન હતા જેથી સ્મશાનની અંદર તથા ચીતાઓ ઉપર વરસાદના પાણી પડતા હતા અને આખુ સ્મશાનગૃહ પલળી ગયું હતું. વળી ચીતાની સગડીના ઉપરના જ પતરા ન હતા. ડાધુઓને મૃતદેહને અગ્નીદાહ આપ્યા વગર તો ચાલે તેમ હતુ જ નહીં. જેથી ભીના લાકડા ગોઠવી મૃતદેહને ચીતા ઉપર મુકી ડીઝલ તથા કેરોસીનનો ઉપયોગ કરી ટાડપટડી અથવા છત્રીઓના સહારે મૃતદેહને અગ્નીદાહ આપવો પડયો હતો...
.
-- હર્ષ વાઘેલા, મોડાસા મીરર
#Modasa #modasacity #marumodasa #modasamirror #aravalli
Modasa, Aravallis | Jul 28, 2026