મુંબઈથી સુરત ગણપતિ મંડળ દ્વારા લઈ જવાઈ રહેલી વિઘ્નહર્તા શ્રીજીની પ્રતિમા વલસાડ જિલ્લામાંથી પસાર થઈ રહી હતી, તે દરમિયાન નેશનલ હાઈવે-48 પર સરોધી ગામ નજીક રસ્તા પર પડેલા ખાડાઓના કારણે ટ્રકમાં રાખેલી ગણપતિજીની પ્રતિમા નીચે પટકાઈ હતી. ઘટનામાં શ્રીજીની પ્રતિમા ખંડિત થતાં મંડળના સભ્યોમાં ભારે દુઃખની લાગણી પ્રસરી હતી.
Vapi, Valsad | Aug 17, 2026